• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • નવરાત્રીમાં ઓટોમોબાઇલ ઇન્‍ડસ્‍ટ્રી ઝળહળી ઉઠી : ગુજરાતમાં ૩૦૦૦ કરોડના વાહનો વેચાયા, દશેરા અને દિવાળી સુધી હજુ પણ તેજી રહેશે

નવરાત્રીમાં ઓટોમોબાઇલ ઇન્‍ડસ્‍ટ્રી ઝળહળી ઉઠી : ગુજરાતમાં ૩૦૦૦ કરોડના વાહનો વેચાયા, દશેરા અને દિવાળી સુધી હજુ પણ તેજી રહેશે

12:14 PM October 12, 2024 Admin Share on WhatsApp

૯૦૦ કરોડના ટુ વ્‍હીલર અને ૨૧૦૦ કરોડની કારનું વેચાણ થયું છે : બેઝિક ગાડી સામે લક્‍ઝુરીયસ કારનું વેચાણ વધ્‍યું : ટ્રક, બસ, તથા મૂવર્સ વાહનો પણ સારા પ્રમાણમાં વેચાયા : ડમ્‍પર અને જેસીબી મશીનની પણ મોટા પ્રમાણમાં ખરીદી



બજારોમાં રહેલી ભારે મંદી બાદ નવરાત્રિની શરૂઆતથી જ બજારમાં તેજી આવી ગઇ છે. તમામ ક્ષેત્રે ખરીદી થઇ રહી છે. નવરાત્રિ ઓટોમોબાઇલ સેક્‍ટરને ખુબ ફળી છે. કારણ કે નવરાત્રિ દરમિયાન ગુજરાતભરમાં કુલ ૩ હજાર કરોડના વાહનો વેચાયા છે. જેમાં ૯૦૦ કરોડના ટુ વ્‍હીલર અને ૨૧૦૦ કરોડની કારનું વેચાણ થયું છે. પહેલી નવરાત્રિથી જ શહેરના તમામ ઓટોમોબાઇલ ડિલરોને ત્‍યાં ગ્રાહકોની લાઇનો લાગી હતી. વાહનોની મોટાપાયે ખરીદી થઇ રહી છે. તેથી ઓટોમોબાઇલ સેક્‍ટરમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઘણી કાર માટે તો છ મહિનાથી લઇને આઠ મહિનાનું વેઇટિંગ પણ ચાલી રહ્યું હોવા છતાં લોકો બુકીંગ કરાવી રહ્યા છે. આખા વર્ષમાં નવરાત્રિ દરમિયાન સૌથી વધુ વાહનોના બુકિંગ થતા હોય છે.

► બાઈક અન કાર ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો

નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં થયેલા બુકિંગ અંગે માહિતી આપતાં ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિયેશન (ફાડા)ના ગુજરાતના ચેરપર્સન પ્રણવ શાહે જણાવ્‍યું હતું કે ગુજરાતમાં નવરાત્રિ (દશેરાએ ડિલવરી સહિત)માં ટુ વ્‍હીલરના ૮૫થી ૯૦ હજાર ટુ વ્‍હીલરનું વેચાણ થયું. જેમાં માત્ર અમદાવાદમાં જ ૧૨થી ૧૩ હજાર ટુ વ્‍હિલર વેચાયા છે. જ્‍યારે સમગ્ર ગુજરાતમાં ૨૦થી ૨૧ હજાર કારના વેચાણ થયા છે. માત્ર અમદાવાદમાં જ ૪૫૦૦-૫૦૦૦થી કારના વેચાણ થયા છે. જેમાં બેઝિક કારથી લઇને હાઇએન્‍ડ કારનો સમાવેશ થાય છે. આમ ૧૦ દિવસ દરમિયાન ૯૦૦ કરોડના ટુ વ્‍હીલર અને ૨૧૦૦ કરોડની કારના વેચાણ થયા છે. જે ગત વર્ષની સરખામણીમાં ઘણું સારુ બુકિંગ છે. આંકડાકીય માહિતી મુજબ ગત વર્ષ કરતાં ટુ વ્‍હીલરના વેચાણમાં ૮થી ૧૦ ટકાનો વધારો છે. કારના વેચાણમાં ૬થી ૮ ટકાના વધારો જોવા મળી રહયો છે. છેલ્લા બે ત્રણ વર્ષમાં યુવાનોમાં મોંઘી બાઇક ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેને પગલે એક કાર  કરતાં પણ મોંઘી બાઇક લઇને યુવાનો શહેરમાં ફરતા નજરે પડી રહ્યા છે.

► દશેરાએ વાહનોની ડિલિવરી લેવાનો લોકોનો આગ્રહ

દશેરા એટલે ભગવાન શ્રીરામનો રાવણ પરનો વિજય. દશેરાને વિજયા દશમી પણ કહેવામાં આવતી હોવાથી આ દિવસે લોકો નવા વાહન કે ઓફિસ કે ઘર લેવાનું પસંદ કરતા હોય છે. દશેરાએ લોકો વાહનોની ડિલિવરી લેવાનો આગ્રહ રાખતા હોય છે. દશેરામાં પણ વિજય મુહૂર્તમાં ડિલિવરી લેવાનો કસ્‍ટમરની માગને પહોંચી વળવા માટે ડિલરો માસ ડિલિવરી કરતા હોય છે. વાહનની પૂજા કરીને વિજય મુહૂર્તમાંજ ડિલિવરી મળી જાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. તેમ નવગુજરાત સમય જણાવે છે.

price of bike , price of car starting , price of jcb , price of truck starting , નવરાત્રીમાં ઓટોમોબાઇલ ઇન્‍ડસ્‍ટ્રી ઝળહળી ઉઠી : ગુજરાતમાં ૩૦૦૦ કરોડના વાહનો વેચાયા, દશેરા અને દિવાળી સુધી હજુ પણ તેજી રહેશે , Gujaratis Baught Vehicles Worth 3 Thousand Crores In Navratri Dussehra auto mobile industries Growth

►લકઝુરીયસ કાર તેમજ ડમ્પર, જેસીબીની ખરીદી વધી

કોરોના બાદ ગુજરાત સહિત દેશભરમાં કારનું વેચાણ વધ્‍યું છે. એક તરફ લોકો બજેટમાં કારની ખરીદી કરવા માટે સેકન્‍ડ હેન્‍ડ કારની ખરીદી કરી રહ્યા છે. તેથી આ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. બીજી તરફ હવે જે લોકો નવી કાર ખરીદી રહ્યા છે તેઓ બેઝિક કારને બદલી લક્‍ઝુરીયસ કાર ખરીદી રહ્યા છે. જેને લઇને અમદાવાદ સહિત ગુજરાતભરમાં લકઝુરીયસ કારનું વેચાણ વધી રહ્યું છે. ગુજરાતમાં ઇન્‍ડસ્‍ટ્રી ધમધમી રહી છે માટે માલ-સામાનના વહન માટે ભારે વાહનોની પણ ઘણી જરૂરીયાત રહેતી હોય છે. જેને પગલે આ નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં ટ્રક, ટ્રેકટર, મીની બસ અને બસ ઉપરાંત મૂવર્સ જેવા ભારે વાહનોની પણ ખાસ્‍સી ખરીદી થઇ છે. ડમ્‍પર અને જેસીબી મશીનની પણ મોટા પ્રમાણમાં ખરીદી થઇ હોય તેવું ઓટોમોબાઇલ્‍સ એજન્‍સીના ડિલરો જણાવી રહ્યા છે.

►ટ્રેન્ડ ધાર્મિક, પણ ઈકોનોમીને ગતિ આપે છે

આ ટ્રેન્ડ દર્શાવે છે કે, સુરતીઓ ન કેવળ વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશન બલ્કે વ્યાપારિક જરૂરિયાત મુજબ વાહનોની ખરીદી કરી રહ્યા છે. નવરાત્રિનો તહેવાર માત્ર ધાર્મિક આસ્થાના દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, બલ્કે તે અર્થવ્યવસ્થા માટે પણ તકો ઉભી કરે છે. આ રીતે નવરાત્રિના અવસરે સુરતમાં વાહનોમાં રજિસ્ટ્રેશનમાં આ વૃદ્ધિ દર્શાવે છે કે, તહેવાર દરમિયાન બજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેનાથી સ્થાનિક ઉદ્યોગ અને વેપારધંધાને પણ લાભ થાય છે.

► નવરાત્રિમાં એવરેજ 10,000 વાહનનું રજિસ્ટ્રેશન

અધિકારીઓના મતે નવરાત્રિ દરમિયાન એવરેજ દસ હજાર વાહનનું રજિસ્ટ્રેશન થાય છે. જેની સામે ચાલુ વર્ષે બે હજાર વાહનનો વધારો થયો છે. નવરાત્રિ દરમિયાન પણ પહેલાં અને બીજા નોરતે જે વાહનોનું બુકિંગ કરાયું હતું. એ વાહનોની પણ ઝડપથી નંબર પ્લેટ સાથે ડિલિવરી અપાઈ રહી છે અને બાકી રહેલાં વાહનો પણ દશેરા સુધીમાં ડિલિવરી કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. મહત્વનું છે કે, હજુ બાકી રહેતા બે દિવસ દરમિયાન પણ વધુ વાહનોનું રજિસ્ટ્રેશન થશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel

join telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , નવરાત્રીમાં ઓટોમોબાઇલ ઇન્‍ડસ્‍ટ્રી ઝળહળી ઉઠી : ગુજરાતમાં ૩૦૦૦ કરોડના વાહનો વેચાયા, દશેરા અને દિવાળી સુધી હજુ પણ તેજી રહેશે , Gujaratis Baught Vehicles Worth 3 Thousand Crores In Navratri Dussehra auto mobile industries Growth



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us